સ્વાગત છે લાલભઈ ના દરબાર માં તમારું

લાઈન સીરીજ માં

Saturday, August 18, 2012

તો હું દોડી ને મારા પિતા ની જ આંગળી પકડું ...*



 *આજે જે લેખ લખવા જઈ રહ્યો છું તે માત્ર લેખ નહિ પરંતુ મારીજીંદગી છે.*  * **મારું સર્વસ્વ છે મારો આત્મા છે ...મારા ગુરુ **, **મારા સખા **, **મારાસુખ*  *દુખ ના ભાગીદાર **,*  * મારા ઈશ્વરે નીમેલા મારા જન્મ દાતા અને પાલનહાર મારા પિતા ...*****  * ** **કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે**,  **સંત મહાત્માઓ પણમાતાના*  *મહત્વ વિશેજ વધારે કહે  છે**,*  * **દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે.  લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ*  *વખાણ કર્યાં છે.*  * સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે*  *બોલાતું નથી.*  *કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર**,*  *વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે....*  * આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે **?*****  *પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે.*  * **તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે*  * ” **આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે **”.*  * ** તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી ને નવા*   *જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ  વાપરશે.*  *સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ*  *ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો  હશે  તો ન્હાવાના સાબુથી દાઢી કરી **લેશે.*  * ** ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.*  * ** રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે.*  * ** પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી*  *જઈએ છીએ **?*****  * **  નોકરી માં એક દિવસ રવિવારે રજા મળતા જ ગામડે ફાટ વળી  ને ખેતી કામ કરતા*  *પણ મેં જોયેલા છે*  * ** અને કપાસ ની ગાંસડી માથે ઉચકી ને સેઢા સુધી લાવતા જોયા છે પિતા ને ...*  * બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું*  *છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે.*  * ** માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે*  *છતાં આપણાં પિતા રડી શકતા નથી**,*  * **કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે**,  **પોતાની માતા મૃત્યુ*  *પામેતોપણ પિતા રડી શકતા નથી.*  * ** કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે.*  * ** પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ*  *પિતા એજ કરવાનું હોય છે.*****  *પિતા માંદા પડે ત્યારે તરતજ  દવાખાને  જતા નથી.*  * **તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે*  *તો શું કરવું તેનો ડર લાગે છે*  * કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે.  ઘરમાં આવકનું*  *બીજું કોઈપણ સાધન હોતું નથી.*  * **પહોચ  હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે*  *છે.*  * ** ખેંચ ભોગવીને પણ બાળક ને  નિયમિત  હોસ્ટેલમાં પૈસા મોકલેછે**,*  * **  પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે  પરમીટરૂમ  માં*  *પાર્ટીઓ આપે છે*  * ** અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.*  * **કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે*  *બાજુમાં લે છે**,*  * **વખાણ કરે છે**, **આશિષ આપે છે**, **પણ ગુપચુપ જઈને પેંડાના  પડીકાલાવનારા પિતા*  *કોઈના ધ્યાનમાં રહેતા નથી.*  *  બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ*  *હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને*  * **આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.*  * *  * **દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે*  *માથા ઉપર બાળકને સુરક્ષિત પણે  લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.*  * *  *  રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય  છે પણ પુત્ર  વિયોગથી તરફડીને મૃત્યુ*  *પામ્યા તે પિતા દશરથ હતા..*  * *  * ** કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે**,**પણ મરણ ના પ્રસંગે*  *પિતાએજ જવું પડે છે.*  * **  પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ*  *ઘરમાં આપી હશે*  * **  તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે**, **તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર*  *કાપશે....*  * **  યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી*  *ઉજાગરો કરતા હોય છે.*  * **દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા**, **દીકરીને પરણાવવા*  *માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા**,*  * **ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા*  *ગ્રેટ હોય છે ખરુંને **?*  * **આ બધા જ અનુભવો નઝરે મારી અને લોકો ના જીવન માં બહુ જ બારીકાઇ થી જોયા*  *છે હજુ પિતા વિષે ધણું બધું લખી શકાય છે .*  * *  * બસ હવે વધુ કઈ નહિ લખી શકું ......**I LOVE MY FATHER .......*  * **કદાચ શ્રી કૃષ્ણ અને મારા પિતા બંને સામે હોય મારી અને એક ની પસંદ કરવા*  *નું કહે*  * *  *              તો હું દોડી ને મારા પિતા ની જ આંગળી  પકડું ...*  * *  *              જો તમને આ લેખ અને વાતો ગમી હોય તો શેર કરજો મિત્રો સાથે*  * *  *              જેથી કરી ને એમના કોઈક શબ્દો કોઈક માં-બાપ ને વૃધ્ધાશ્રામેજતા અટકાવશે*  * *  * *  *              તો મારો અને તમારો જન્મારો સફળ ગણાશે ....*